પાકિસ્તાને અયોધ્યાના રામ મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદીના ધ્વજારોહણ પર વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે આ પગલું ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધતા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસી નાખવાના પ્રયાસનો ભાગ છે.
પાકિસ્તાનનો દાવો છે કે જે જગ્યાએ આજે રામ મંદિર ઉભું થયું છે, ત્યાં પહેલાં બાબરી મસ્જિદ હતી, જે ઘણી સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું. 6 ડિસેમ્બર 1992ના રોજ ભીડે તે મસ્જિદ તોડી નાખી હતી.
મોદીના ધ્વજારોહણની વિગતો:
મંગળવારે પીએમ મોદીએ રામ મંદિરના શિખર પર 161 ફૂટ ઊંચા કેસરિયા ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજારોહણ અભિજીત મુહૂર્તમાં સવારે 11.50 વાગ્યે કરવામાં આવ્યું.
પાકિસ્તાની રજૂઆત:
પાકિસ્તાને આ મામલે UNને દખલગીરી કરવાની અપીલ કરી છે. તેમનો દાવો છે કે ભારતીય અદાલતોએ જે લોકો પર આરોપ હતો તેમને નિર્દોષ છોડી, તે જ જમીન પર મંદિર નિર્માણની પરવાનગી આપી દીધી. પાકિસ્તાનના મુજબ આ લઘુમતીઓ સાથે ભેદભાવનું મોટું ઉદાહરણ છે.
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું કે ભારતમાં લઘુમતિઓ, ખાસ કરીને મુસ્લિમો પર દબાણ વધી રહ્યું છે. તેઓ દાવો કરે છે કે અનેક ઐતિહાસિક મસ્જિદો ખતરામાં છે અને મુસ્લિમો સામાજિક, આર્થિક અને રાજકીય રીતે હિંસામાં ધકેલવામાં આવી રહ્યા છે.
લઘુમતીઓ પર હિંસા અંગે પાકિસ્તાની સ્થિતિ:
પાકિસ્તાનમાં પોતાના દેશની સ્થિતિને ધ્યાનમાં લેતા હકીકત પણ સામે આવી છે. અમેરિકાના એક રિપોર્ટ મુજબ 2025ના પ્રથમ છ મહિનામાં પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અનેક હુમલાઓ અને ધમકીઓ નોંધાઈ છે, પરંતુ ત્યાંની સરકારે કડક પગલાં લેવામાં નિષ્ફળ રહી.
2023માં ચર્ચ સળગાવવાના આરોપમાં પકડાયેલા 10 લોકોને અદાલતે નિર્દોષ છોડી દીધા. પાકિસ્તાનમાં હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓના બળજબરીથી ધર્મ પરિવર્તન અને બળજબરીના લગ્નના કિસ્સાઓ સામાન્ય બન્યા છે, ખાસ કરીને સિંધ અને પંજાબમાં.

👆🏻પાકિસ્તાનમાં થોડા વર્ષો પહેલા ભીડે એક 100 વર્ષ જૂના હિંદુ મંદિરમાં આગ લગાડી દીધી હતી.
સુરક્ષા પર ચિંતાઓ:
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું હતું કે તેમના દેશમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. તેઓએ જણાવ્યું હતું કે ધર્મના નામે લોકો નિશાન બનાવવામાં આવે છે અને સરકાર તેમનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.
ઈશનિંદા કાયદા અને હિંસા:
પાકિસ્તાનમાં ઈશનિંદાના કાયદાની આડમાં લઘુમતીઓ પર હુમલા થાય છે. કુરાન કે પયગંબરના અપમાન માટે આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાઓ આપવામાં આવે છે. 1990થી અત્યાર સુધીમાં 80થી વધુ લોકોને ટોળાએ મારી નાખ્યું છે. ઘણીવાર માત્ર અફવા ફેલાવવાથી હજારો લોકોનું ટોળું એકત્ર થઈ હુમલો કરે છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this