રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ‘મા વત્સલ્ય’, ‘મા’, મધ્યમ વર્ગના પરિવારો, સિનિયર સિટિઝન અને સામાજિક રીતે વંચિત વર્ગો માટે આવકના આધારે જારી કરવામાં આવતા આયુષ્માન કાર્ડનો સમયગાળો પૂર્ણ થતાં મોટી સંખ્યામાં કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે.
સરકારી આંકડા મુજબ, રાજ્યભરમાં અંદાજે 13 લાખ લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ હાલમાં ઇનએક્ટિવ છે. સરકાર દ્વારા જાહેરાતો, માર્ગદર્શિકા, તેમજ મોબાઇલ પર SMS દ્વારા સતત સૂચનાઓ મોકલાયા હોવા છતાં, અનેક લાભાર્થીઓએ રીન્યુઅલ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. જેના કારણે ઘણાં લોકો જરૂરી સમયે હોસ્પિટલોમાં સારવાર કરાવવા જતા કાર્ડ એક્ટિવ કરવાની દોડધામ કરતા જોવા મળ્યા છે.
રાજ્ય સરકારે સ્પષ્ટ અપીલ કરી છે કે, કોઈ લાભાર્થી આરોગ્ય સેવાથી વંચિત ન રહી જાય, એ માટે તમામ પાત્ર પરિવારોને તરત જ પોતાનું કાર્ડ રીન્યુ કરાવી લેવું જોઈએ.
સરકારની અગત્યની સ્પષ્ટતાઓ
- જેઓનાં આયુષ્માન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે, તેઓએ સૌપ્રથમ કાર્ડ રીન્યુ કરાવવું ફરજિયાત છે।
- રીન્યુ કર્યા બાદ જ કાર્ડને ડિસેબલ કરાવીને G કેટેગરીનું નવું કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરી શકાશે।
- ઇનએક્ટિવ કાર્ડ વગર G કેટેગરીના કાર્ડ માટે અરજી શક્ય નથી।
રાજ્ય સરકારે ભારપૂર્વક કહ્યું છે કે સમયસર કાર્ડ રીન્યુ ન કરવાથી યોજનાના લાભમાંથી વંચિત થવાની શક્યતા છે, તેથી તમામ લાભાર્થીઓને વહેલી તકે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this