એન્ટરટેનમેન્ટ ધર્મ દર્શન

‘નુસરત ભરૂચાએ ગુનો કર્યો છે, માફી માંગી પશ્ચાતાપ કરે’:એક્ટ્રેસે મહાકાલના દર્શન કરતા ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ વિફર્યા

નુસરત ભરૂચાના મહાકાલ મંદિર દર્શનથી તનાવ, મૌલાનાએ કહ્યું શરિયત પ્રમાણે ગુનો

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા 30 ડિસેમ્બર 2025ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર પહોંચીને દર્શન કર્યા અને ભસ્મ આરતીમાં ભાગ લીધો. દર્શન બાદ તેમણે ચાદર અને માળા પહેરી અને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી લખ્યું, “જય શ્રી મહાકાલ।”

આ ઘટના બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શાહબુદ્દીન રિઝવી બરેલવીએ નુસરતની સખત નિંદા કરી, કહ્યું કે આ ક્રિયા ઇસ્લામિક કાયદા મુજબ ગુનો છે. તેમણે ફરમાન કર્યો કે, નુસરત તૌબા કરે, માફી માંગે અને કલમા પાઠ કરે.

નોંધનીય છે કે નુસરત ભરૂચા મુસ્લિમ બોહરા સમુદાય સાથે સંકળાયેલ હોવા છતાં, તેમના પરિવારના સેક્યુલર દૃષ્ટિકોણ અને બાળપણથી વિવિધ મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચમાં દર્શન કરવાનો અનુભવ છે. તેમણે વૈષ્ણો દેવી અને કેદારનાથના દર્શન કર્યા છે અને સંતોષી માતાનું વ્રત પણ રાખ્યું છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video