સ્પોર્ટ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સમાં બદલાવની ચર્ચા, જાડેજા સહીત ના ખેલાડીઓ ના સ્થાન જોખમમાં?

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. પાંચ વાર આઈપીએલ ચેમ્પિયન બનનાર CSKએ 14માંથી માત્ર 4 મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલ પર તે છેલ્લા નંબરે રહી હતી. ટીમ મેનેજમેન્ટ હવે આઈપીએલ 2026 પહેલા મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે.

ક્રિકબઝના રિપોર્ટ અનુસાર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ 2026 માટે મિની ઓક્શન પહેલા પાંચ ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. જે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે, તેમાં સેમ કરન, ડેવોન કોન્વે, દીપક હુડ્ડા, વિજય શંકર અને રાહુલ ત્રિપાઠી સામેલ છે. ટીમના ખૂબ જ ખરાબ પ્રદર્શનના કારણે આ ખેલાડીઓને રિલીઝ કરવાનો વારો આવ્યો છે.

આઈપીએલ 2025માં ઋતુરાજ ગાયકવાડને ઈજાએ પણ ચેન્નઈ સુપર કિંગ્સની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. ઋતુરાજ બહાર થયા પછી એમએસ ધોનીએ ટીમની કમાન સંભાળી, પરંતુ તે પણ ટીમની કિસ્મત બદલી શક્યો નહીં. અનુભવી ખેલાડી પર ભરોસો કરવાની રણનીતિ આ વખતે ઊલટી પડી ગઈ.

ટોપ ઓર્ડરના ખરાબ પ્રદર્શને ચેન્નઈ સુપર કિંગ્સની મુશ્કેલી વધારી હતી. ડેવોન કોન્વે, દીપક હુડ્ડા, વિજય શંકર અને રાહુલ ત્રિપાઠીનું ફોર્મ સતત ઓસરતું ગયું. આઈપીએલ 2025માં સીએસકેના બેટ્સમેનોએ 138.39ના સ્ટ્રાઇક રેટથી 2315 રન બનાવ્યાં. જે ગત સિઝનમાં કોઈ ટીમનો સૌથી ઓછો સ્ટ્રાઇક રેટ હતો. આ ઉપરાંત સીએસકેએ પાવર પ્લેમાં સૌથી ઓછા રન બનાવ્યા અને 29 વિકેટ ગુમાવી.

ટીમ મેનેજમેન્ટ હવે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કરવા માગે છે. રિપોર્ટ્સ અનુસાર ફ્રેન્ચાઈઝીનો ઇરાદો સ્ક્વોડને નવેસરથી બનાવવાનો છે. જેથી નવી ઊર્જા સાથે આગામી સિઝનમાં કમબેક કરી શકે. રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી સંન્યાસ લેતા સીએસકેને એક રીતે ફાયદો થયો છે.

આર અશ્વિનના રિટાયર્મેન્ટથી ટીમના પર્સમાં 9.75 કરોડ રૂપિયા આવી ચૂક્યા છે. જો સીએસકે ઉપરના પાંચ ખેલાડીઓને રિલીઝ કરી દે છે, તો તેના પર્સમાં 25 કરોડથી વધુની રકમ આવી જશે. સેમ કરન પર સીએસકેએ ઘણો ભરોસો મૂક્યો હતો, પરંતુ તે પોતાની લય પકડી શક્યો નહીં. બીજી બાજુ ઇજામાંથી સ્વસ્થ થયા પછી ડેવોન કોન્વેના બેટિંગ ફોર્મમાં પણ ઘટાડો આવ્યો.

ભારતીય બેટ્સમેન દીપક હુડ્ડા, વિજય શંકર અને રાહુલ ત્રિપાઠી પણ બેટથી ખાસ પ્રદર્શન કરી શક્યા નહીં. આઈપીએલ 2026ના મિની ઓક્શન માટે તમામ 10 ટીમોને પોતાનું રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બર સુધી ફાઈનલ કરી લેવાનું છે. આઈપીએલ 2026 માટે મિની ઓક્શન 13 થી 15 ડિસેમ્બર વચ્ચે યોજાઈ શકે છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group







Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video