ધર્મ દર્શન

સાળંગપુરમાં ‘હનુમાન જયંતી’ મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ: મહાઆરતી અને આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ શ્રદ્ધા અને ઉમંગ સાથે થયો છે. 1 અને 2 એપ્રિલ 2026 દરમિયાન યોજાયેલા આ દ્વિ-દિવસીય મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો ભક્તો ઉમટી પડ્યા છે.


કિંગ ઓફ સાળંગપુર પાસે મહાઆરતી, ભક્તિનો મહાસાગર

1 એપ્રિલની રાત્રે “કિંગ ઓફ સાળંગપુર” તરીકે જાણીતી વિશાળ હનુમાનજીની પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પવિત્ર પ્રસંગે હજારો ભક્તોએ એકસાથે આરતી કરી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.


મહાઆરતી બાદ ભવ્ય આતશબાજી, આકાશ બન્યું રંગબેરંગી

મહાઆરતી પૂર્ણ થતાં જ કાઉન્ટડાઉન સાથે ભવ્ય આતશબાજી શરૂ કરવામાં આવી હતી. ફટાકડાઓની રંગબેરંગી રોશનીથી આખું આકાશ ઝળહળી ઉઠ્યું હતું. આ દ્રશ્ય જોઈને હાજર હજારો ભક્તો મંત્રમુગ્ધ બની ગયા હતા. આ અદ્ભુત ક્ષણોમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમા વધુ તેજસ્વી અને દિવ્ય દેખાતી હતી.


રાજોપચાર પૂજન અને 1008 કિલો પુષ્પોથી અભિષેક

બુધવારે સવારે 7:30 કલાકે હનુમાનજી દાદાનું ઐતિહાસિક ‘રાજોપચાર પૂજન’ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે આ પૂજન સંપન્ન થયું.

આ પ્રસંગે દાદાને ઓર્કિડ, ગુલાબ અને સેવંતીના પુષ્પોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. 1008 કિલો પુષ્પો દ્વારા કરવામાં આવેલ દિવ્ય અભિષેક અને પુષ્પવર્ષા આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. આ મનોરમ્ય દ્રશ્ય જોઈને ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.


શું છે રાજોપચાર પૂજનનું મહત્વ?

હિન્દુ ધર્મમાં ‘રાજોપચાર પૂજન’ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રાજાને જે રીતે પ્રસન્ન કરવામાં આવે તે રીતે ભગવાનની સેવા કરવી તેને રાજોપચાર કહેવામાં આવે છે. હનુમાનજી મહારાજ વેદોના જ્ઞાતા માનવામાં આવે છે, તેથી પૂજામાં ચારેય વેદોના મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું.

શાસ્ત્રો, પુરાણો અને ઉપનિષદોના પાઠ સાથે શાસ્ત્રીય સંગીત અને વિવિધ વાદ્યો દ્વારા દાદાને પ્રસન્ન કરવામાં આવ્યા. દાદાને કિંમતી વસ્ત્રો, આભૂષણો, ડ્રાયફ્રૂટ્સ અને વિશેષ અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવ્યો.

હનુમાન જયંતી એ સાળંગપુરમાં ભવ્ય ઉત્સવ

સમયકાર્યક્રમવિગતો
સવારે 05:00 વાગ્યેમંગળા આરતીઆતશબાજી સાથે દાદાનું સ્વાગત
સવારે 07:00 વાગ્યેશણગાર આરતીદાદા સુવર્ણ વાઘા-સોનાના વસ્ત્રો ધારણ કરશે
સવારે 07:00 વાગ્યેવિશ્વ શાંતિ મારુતિ યજ્ઞ1000થી વધુ ભક્તો સામૂહિક વૈદિક યજ્ઞમાં ભાગ લેશે
સવારે 07:30 વાગ્યેઐતિહાસિક હનુમાન જન્મોત્સવ1,00,000 ફુગ્ગાઓનો વરસાદ, 151 કિલોની કેક અને DJ સાથે ભક્તિ ઉત્સવ
સવારે 10:00 વાગ્યેઅન્નક્ષેત્રતમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા
સવારે 11:00 વાગ્યેઅન્નકૂટવિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે
સાંજે 07:00 વાગ્યેમહા સંધ્યા આરતીનાસિક ઢોલ-નગારા ગ્રુપ, ભવ્ય આતશબાજી અને DJ સાથે સામૂહિક આરતી

ભક્તો માટે સુવિધાઓ

સુવિધાવિગતો
ભોજનભોજનશાળા વ્યવસ્થા
રહેવાગેસ્ટ હાઉસ, લાઇટ હાઉસ, ફ્લેટ ભવન
પાર્કિંગપાર્કિંગ નંબર 17 થી 26 સુધી વ્યવસ્થા

મહોત્સવના મુખ્ય આકર્ષણો

  • મંગળા અને શણગાર આરતી સાથે દિવ્ય દર્શન
  • કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પાસે સમૂહ આરતી
  • ભવ્ય આતશબાજી કાર્યક્રમ
  • લોકડાયરો અને ધાર્મિક કાર્યક્રમો
  • 108 ધજા આરોહણ
  • વિશ્વશાંતિ માટે મારુતિ યજ્ઞ
  • 2 એપ્રિલે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

દેશ-વિદેશથી ભક્તોની ભારે ભીડ

સાળંગપુરધામમાં હનુમાનજી મહારાજ રાજાની જેમ બિરાજમાન છે અને ભક્તોના કષ્ટો દૂર કરે છે તેવી શ્રદ્ધા છે. તેથી જ રાજોપચાર પૂજન દ્વારા તેમને વિશેષ માન અર્પિત કરવામાં આવે છે.

આ મહોત્સવનો લાભ લેવા દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ સાળંગપુર પહોંચ્યા છે. જ્યારે લાખો ભક્તોએ સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન દર્શન કરીને આ દિવ્ય પ્રસંગનો અનુભવ કર્યો હતો.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video