અમિત શાહનું મોટું નિવેદન: “2036નું ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે”, આનંદીબેન પટેલે કહ્યું — “અમિતભાઈ ચાણક્ય છે”
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં ₹1507 કરોડના પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે “2036નું ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે.”
વિકાસના અનેક પ્રોજેક્ટ્સનો લોકાર્પણ
અમિત શાહે બોપલના નવનિર્મિત ગાર્ડનથી કાર્યક્રમની શરૂઆત કરી. ત્યારબાદ:
- સરખેજ ખાતે શકરી તળાવનું નામકરણ
- વસ્ત્રાપુરના નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ
આ કાર્યક્રમોમાં અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ હાજર રહ્યા.
આનંદીબેન પટેલના જીવનચરિત્રનું વિમોચન
વૈષ્ણોદેવી સર્કલ નજીક આનંદીબેન પટેલના જીવનચરિત્ર ‘ચુનૌતીયાં મુઝે પસંદ હૈ’ ના ગુજરાતી સંસ્કરણનું લોન્ચિંગ અમિત શાહે કર્યું. PM મોદીએ પુસ્તકમાં લખ્યું છે કે:
“મહેસૂલ સુધારાઓમાં આનંદીબેનનો ફાળો અનોખો છે.”
કાર્યક્રમમાં ગાયક કિંજલ દવે અને ધ્રુવિન શાહ સગાઈ પછી પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા.
સંજય પટેલ ભાવુક થયા
આનંદીબેનના પુત્ર સંજય પટેલ માતાના સંઘર્ષને યાદ કરતા ભાવુક થઈ ગયા.
અનારબેન પટેલે પણ કહ્યું:
“દીકરીને બચાવવા તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને નર્મદા સરોવરમાં કૂદી પડ્યા હતા.”
“અમિતભાઈ ચાણક્ય છે” — આનંદીબેન પટેલ
આનંદીબેને અમિત શાહના રાજકીય કુશળતાની પ્રશંસા કરતા કહ્યું:
“અમિતભાઈ ચાણક્ય છે. કોને આગળ લાવવું અને કોને નહીં – એ બધું તેમને ફાવે છે, મને ન ફાવે.”
તેમણે પોતાની યાત્રામાં સંઘર્ષ, શિસ્ત અને લોકો માટેના સમર્પણને પોતાની સૌથી મોટી તાકાત ગણાવી.
અમિત શાહની પ્રશંસા
પુસ્તક વિમોચન દરમિયાન અમિત શાહે કહ્યું:
“આનંદીબેન મધ્યમવર્ગની દીકરીથી CM અને પછી સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સુધીની પ્રેરણાદાયક યાત્રા ધરાવે છે.”
તેમણે ઉમેર્યું:
“પોતાનાં માટેનું લક્ષ્ય સરળ હોય છે, પણ લોકો માટેનું લક્ષ્ય હાંસિલ કરવું અઘરુ — અને તેઓએ એ સાબિત કર્યું છે.”
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this