DDLJના 30 વર્ષ: શાહરુખ-કાજોલે લંડનમાં સ્ટેચ્યુનું અનાવરણ કર્યું
બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ) રિલીઝ થયા 30 વર્ષ પૂર્ણ થયા. આ ખાસ પ્રસંગે, ફિલ્મના મુખ્ય નાયક શાહરુખ ખાન અને કાજોલે લંડનમાં બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું.
સ્ટેચ્યુમાં બંનેને તેમના પાત્રો રાજ અને સિમરન તરીકે દર્શાવવામાં આવ્યા છે અને ફિલ્મના ફેમસ પોઝને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. લોન્ચિંગ દરમિયાન શાહરુખ બ્લેક સૂટમાં અને કાજોલ વાદળી સાડીમાં દેખાયા, અને બંને સાથે ફોટા પડાવ્યા.

”આજે લંડનના લીસેસ્ટર સ્ક્વેરમાં રાજ અને સિમરનની બ્રોન્ઝ સ્ટેચ્યુને લોન્ચ કરતા ખૂબ આનંદ થઈ રહ્યો છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ)ના 30 વર્ષ પૂરા થવાનો આ જશ્ન ખૂબ જ ખાસ છે. DDLJ પહેલી ભારતીય ફિલ્મ છે જેને સીન્સ ઇન ધ સ્ક્વેર ટ્રેલમાં સ્થાન મળ્યું છે. યુકેના તમામ લોકોનો આભાર જેમણે આ શક્ય બનાવ્યું. જો તમે ક્યારેય લંડન આવો તો રાજ અને સિમરનને ચોક્કસ મળજો. અમે ઇચ્છીએ છીએ કે તમે DDLJ સાથે વધુ યાદો બનાવો”
ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું. DDLJ ભારતની સૌથી લાંબી ચાલતી ફિલ્મોમાંની એક છે અને હજુ પણ મુંબઈના મરાઠા મંદિર સિનેમામાં પ્રદર્શિત થાય છે. રાજ અને સિમરનના પાત્રો હિન્દી સિનેમામાં એક અનોખી ઓળખ સ્થાપિત કરે છે.
શાહરુખ ખાને જણાવ્યું:
“DDLJ રિલીઝ થયાને 30 વર્ષ વીતી ગયા હોય તેવું લાગતું નથી. ગઈકાલ જેવું લાગે છે, પરંતુ હજુ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હું દુનિયાભરના લોકોને આભાર માનું છું જેમણે રાજ પર આટલો પ્રેમ વ્યક્ત કર્યો.”

કાજોલે કહ્યું:
“મારા માટે સિમરન એ એવું પાત્ર છે જે ક્યારેય સમાપ્ત થતું નથી. તે લાખો છોકરીઓના હૃદયમાં જીવે છે. ‘જા સિમરન, જા’ માત્ર સંવાદ નથી, તે હિંમત અને પ્રેમની શક્તિનું પ્રતીક બની ગયું છે. મારી દરેક પછીની રોમેન્ટિક ફિલ્મમાં DDLJનું થોડું પ્રતિબિંબ જોવા મળે છે.”
આ અનાવરણ DDLJની લોકપ્રિયતા અને ફિલ્મના પાત્રોની યાદગારી દર્શાવે છે, જે હજુ પણ દર્શકોના હૃદયમાં જીવંત છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this