ગુજરાતમાંથી ISISના 3 આતંકી ઝડપાયા પછી રાઇઝિન ઝેરની ઘણી ચર્ચા થઇ. આતંકીઓ આ ઝેરનો ઉપયોગ કરી મોટેપાયે લોકોને મારી નાખવા માગતા હતા. સાયનાઇડ કરતાં પણ વધુ ખતરનાક ગણાતું આ ઝેર આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પ્રતિબંધિત છે. આ ઝેરને કેમિકલ વેપન્સ કન્વેન્શન એક્ટ 2000 હેઠળ કેમિકલ વોરફેર એજન્ટ ગણવામાં આવે છે. કેમિકલ વોરફેર એજન્ટ્સ એટલે એવાં ઝેરી રસાયણો, જેનો ઉપયોગ ઇરાદાપૂર્વક મૃત્યુ અથવા ઇજા કરવા માટે થાય છે. કેમિસ્ટ્રી અને બાયોલોજીની ભાષામાં આ ઝેરને રાઇઝિન કહેવાય છે.
આ ઝેર શરીરમાં જાય તો એનાં લક્ષણ 4થી 8 કલાકમાં જ દેખાવા લાગે છે. કિડની, લિવર અને આંતરડાં ડેમેજ કરે છે અને દોઢથી 3 દિવસમાં જ વ્યક્તિનું મોત નીપજે છે.

👆🏻આતંકીઓ પાસેથી મળેલાં હથિયારો અને કેસ્ટર ઓઇલ.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this