આપણું ભારત ટૉપ ન્યૂઝ પોલિટિક્સ

વોટ ચોરીના દાવાઓને લઈને તણાવ વધ્યો: રાહુલ ગાંધી વિરુદ્ધ 272 રિટાયર્ડ ઓફિસરોનું લેટર જાહેર

બુધવારે દેશભરના 272 નિવૃત્ત જજ અને અમલદારોએ ચૂંટણી પંચની કથિત વોટ ચોરીની ટીકા કરતો એક ખુલ્લો લેટર બહાર પાડ્યો હતો. આ લેટરમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષની ટીકા કરવામાં આવી હતી. આ લેટર પર 16 ભૂતપૂર્વ જજ, 123 નિવૃત્ત અમલદારો (14 ભૂતપૂર્વ રાજદૂતો સહિત) અને 133 નિવૃત્ત લશ્કરી અધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ ઓપન લેટરમાં, આ નિવૃત્ત જજ અને અમલદારોએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાને સતત નબળી પાડવાની કોશિશ કરી રહી છે. આનાથી દેશની લોકશાહી વ્યવસ્થામાં બિનજરૂરી અવિશ્વાસ ફેલાય છે.

લેટરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ ભારતની ચૂંટણી પ્રણાલીનો સૌથી મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેના પર વારંવાર પ્રશ્ન ઉઠાવવાથી લોકોના વિશ્વાસને નુકસાન થાય છે અને લોકશાહીને નુકસાન થાય છે. રાજકીય મતભેદો જરૂરી છે, પરંતુ બંધારણીય સંસ્થાઓ પર સતત દોષારોપણ કરવું રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ છે.

હકીકતમાં, રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવતી ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂક્યા છે. તેમણે ચૂંટણી પંચને મોદી સરકારની “બી ટીમ” પણ ગણાવી હતી, અને તેના પર ભાજપ સાથે મળીને મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો.

લેટર વિશે 5 મોટી વાતો….

  • પહેલા સૈન્ય, પછી ન્યાયતંત્ર અને સંસદ પર સવાલ ઊઠાવવામાં આવ્યા, અને હવે ચૂંટણી પંચને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ એક “ખતરનાક વલણ” બની ગયું છે જેમાં ચૂંટણીમાં મળેલી હાર છુપાવવા માટે સંસ્થાઓની વિશ્વસનીયતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે.
  • રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર “મત ચોરી”નો આરોપ લગાવ્યો, તેને “દેશદ્રોહી” પણ કહી અને અધિકારીઓને ધમકાવ્યા, છતાં તેમણે કોઈ સત્તાવાર ફરિયાદ કે સોગંદનામું દાખલ કર્યું નથી. આ ફક્ત “રાજકીય આક્રોશ” છે જેનો કોઈ નક્કર આધાર નથી.
  • જ્યારે વિરોધ પક્ષો જીતે છે, ત્યારે ચૂંટણી પંચને દોષ આપવામાં આવતો નથી, પરંતુ તેઓ હારતાની સાથે જ દોષ કમિશન પર આવવા લાગે છે. આ “રાજકીય અવસરવાદ” છે.
  • ટી.એન. શેષન અને એન. ગોપાલસ્વામી જેવા ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોએ કમિશનને ખૂબ જ મજબૂત અને નિષ્પક્ષ સંસ્થા બનાવી છે, તેથી આજે તેના પર પાયાવિહોણા હુમલાઓ લોકશાહી માટે હાનિકારક છે.
  • બધા ભારતીયોએ ચૂંટણી પંચ અને અન્ય બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. તેમણે કહ્યું કે નકલી મતદારો, બિન-નાગરિકો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મતદાર યાદીથી દૂર રાખવા રાષ્ટ્રીય સુરક્ષા અને લોકશાહી બંને માટે જરૂરી છે.

આ સહી 16 ભૂતપૂર્વ ન્યાયાધીશોની છે, જેમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચેરમેન આદર્શ કુમાર ગુપ્તા અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હેમંત ગુપ્તાનો સમાવેશ થાય છે. આ સહી 123 નિવૃત્ત અમલદારો (14 ભૂતપૂર્વ રાજદૂતો સહિત), જેમાં ભૂતપૂર્વ RAW વડા સંજીવ ત્રિપાઠી અને ભૂતપૂર્વ NIA ડિરેક્ટર યોગેશ ચંદ્ર મોદીનો સમાવેશ થાય છે, અને 133 નિવૃત્ત લશ્કરી અધિકારીઓના છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video