ભારતીય બેટર શ્રેયસ અય્યર માટે ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ હજુ ચાલુ છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં તેની પસંદગી મુશ્કેલ જણાઈ રહી છે. અય્યર હાલમાં બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિકવરી કરી રહ્યા છે અને આ અઠવાડિયે તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવામાં આવશે.
BCCIના સૂત્રો મુજબ, મેડિકલ ટીમ ટૂંક સમયમાં રિપોર્ટ આપશે. હાલમાં અય્યર વન-ડે ક્રિકેટ માટે સંપૂર્ણપણે ફિટ નથી, તેથી ટીમમાં તેની પસંદગી સંભવિત નથી. પસંદગી સમિતિ આગામી 1-2 દિવસમાં 11 જાન્યુઆરીથી વડોદરામાં શરૂ થનારી સિરીઝ માટે ટીમની જાહેરાત કરશે.
શ્રેયસ અય્યર ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. 25 ઓક્ટોબરે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ડાબી પાંસળીમાં સ્પ્લીન ઇજા થઈ હતી. કેચ લેવાના પ્રયાસ દરમિયાન એલેક્સ કેરીને પીછેથી દોડતા પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ ઘાયલ થયા અને તરત હોસ્પિટલ લઈ જવાયા.
સ્પ્લીન, જે પેટની ડાબી બાજુમાં પાંસળીઓની નીચે આવેલું હોય છે, લોહીને શુદ્ધ કરવાનો મહત્વનો અંગ છે. તે જૂના લાલ રક્તકણોનો નાશ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, ચેપ સામે લડવામાં મદદ કરે છે અને જરૂરી પડ્યે લોહી અને પ્લેટલેટ્સ મુક્ત કરે છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this