સ્પોર્ટ્સ

ભારત સામે રમવાની ના પાડવી પાકિસ્તાનને ભારે પડશે: ICC કડક કાર્યવાહી માટે તૈયાર, કરોડોનું ફંડ અને ભવિષ્ય જોખમમાં

ભારત સામે મેદાનમાં ઉતરવાના ડર અને રાજકીય અહંકાર વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોતે જ પોતાના પગ પર કુહાડો મારી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની પોકળ ધમકીઓ આપતા પાકિસ્તાનને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી કડક અને ઐતિહાસિક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ICCના સૂત્રો મુજબ, જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહેશે તો માત્ર અબજો રૂપિયાનું વાર્ષિક ફંડ જ નહીં ગુમાવવું પડે, પરંતુ તેના પર લાંબા ગાળાનો પ્રતિબંધ મૂકવાની પણ શક્યતા છે. આવી કાર્યવાહીથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નકશા પરથી લગભગ ગાયબ થઈ શકે છે. ક્રિકેટ જગતમાં પહેલેથી જ નાણાકીય રીતે સંઘર્ષ કરી રહેલા PCB માટે આ સ્થિતિ ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ સમાન બની શકે છે.

પાકિસ્તાન સરકારે રવિવારે નિવેદન આપીને કહ્યું હતું કે તેમની ટીમ વર્લ્ડ કપ રમશે, પરંતુ ભારત સામે નહીં ટકરાય. આ નિવેદન બાદ ICCએ સ્પષ્ટ શબ્દોમાં PCBને પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા કહ્યું છે અને સ્પોર્ટ્સમેનશિપની ભાવનાનું પાલન કરવાની અપીલ કરી છે.

પાકિસ્તાનના વલણ પર BCCIની પહેલી પ્રતિક્રિયા

પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. BCCIના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ કહ્યું,
“ICCએ સ્પોર્ટ્સમેનશિપ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને અમે ICC સાથે સંપૂર્ણ રીતે સંમત છીએ. જ્યાં સુધી ICC સાથે ઔપચારિક ચર્ચા નહીં થાય ત્યાં સુધી BCCI આ મુદ્દે કોઈ ટિપ્પણી નહીં કરે.”

ભારત સામે મેચનો બહિષ્કાર: પાકિસ્તાનને શું નુકસાન થશે?

અસર-1: ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનો મોટો ખતરો

ICCની પ્લેઇંગ કન્ડિશનના કલોઝ 16.10.7 મુજબ, જો કોઈ ટીમ મેચનો બહિષ્કાર કરે તો તેને 20 ઓવરમાં 0 રન માનવામાં આવે છે. જ્યારે વિરોધી ટીમનો એકપણ ઓવર ગણાતો નથી. પરિણામે પાકિસ્તાનનો નેટ રન રેટ ગંભીર રીતે નકારાત્મક બની શકે છે.

ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, નામિબિયા, નેધરલેન્ડ અને અમેરિકા છે. પાકિસ્તાન જો એકપણ મેચ હારે તો ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનો ખતરો વધી જશે. નોંધનીય છે કે અમેરિકા અને નેધરલેન્ડ જેવી ટીમો અગાઉ પણ મોટા ઉલટફેર કરી ચૂકી છે.

અસર-2: વર્લ્ડ કપમાંથી સીધો પ્રતિબંધ

ICC હવે PCBને સ્પષ્ટ રીતે પૂછશે કે ભારત સામે મેચનો બહિષ્કાર શા માટે કરાયો. જો જવાબ સંતોષકારક નહીં હોય તો પાકિસ્તાનને આ જ વર્લ્ડ કપમાંથી બહાર પણ કરી શકાય છે. અગાઉ પણ ICC ટુર્નામેન્ટમાં કેટલીક ટીમો બહિષ્કારના કારણે કડક કાર્યવાહીના શિકાર બની ચૂકી છે.

અસર-3: PSL માટે NOC પર સંકટ

પાકિસ્તાન સુરક્ષા કારણો બતાવી શકશે નહીં, કારણ કે ભારત સામેની મેચો ભારતને બદલે શ્રીલંકામાં યોજાવાની છે. જો PCB બાંગ્લાદેશને સમર્થન આપવાનું કારણ આપે તો પણ ICC કાર્યવાહી કરી શકે છે. ICCએ પહેલેથી જ ચેતવણી આપી છે કે આવા પગલાં લેવાશે તો પાકિસ્તાન સુપર લીગ (PSL)ને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં મળે.

અસર-4: નોકઆઉટમાં ભારત સામે મેચ આવી તો શું?

ગ્રુપ સ્ટેજમાં ભારત સામે રમવાની ના પાડી છે, પરંતુ જો નોકઆઉટ સ્ટેજમાં ભારત સામે ટક્કર આવે તો પાકિસ્તાન શું કરશે તે હજુ સ્પષ્ટ નથી. ICCના સૂત્રો મુજબ, આ મુદ્દે PCB પાસેથી સ્પષ્ટ જવાબ માગવામાં આવશે અને અસ્પષ્ટતા રાખવામાં આવશે તો કડક પગલાં લેવાશે.

અસર-5: ભવિષ્યની યજમાની જોખમમાં

પાકિસ્તાનને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી હતી, જે 29 વર્ષ બાદ કોઈ ICC ઇવેન્ટ હતી. હવે ભારત-પાકિસ્તાન મેચ ન થવાથી ICCની આવક પર અસર પડશે. આ નુકસાનની ભરપાઈ માટે ICC પાકિસ્તાનની ભવિષ્યની યજમાનીઓ રદ્દ કરી શકે છે અને વાર્ષિક રેવન્યુ શેર પણ ઘટાડે તેવી શક્યતા છે.

કેપ્ટન સલમાન અલી આગાનો નિવેદન

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું,
“અમે માત્ર વર્લ્ડ કપ રમવા માગીએ છીએ. સરકાર જે નિર્ણય લેશે તેનું પાલન કરવું અમારી ફરજ છે. અમારી ટીમ ટુર્નામેન્ટમાં 100 ટકા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે.”

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ ઇતિહાસમાં ભારત સામે માત્ર એક જ વખત જીત મેળવી શકી છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video