ગ્લોબલ ન્યુઝ પોલિટિક્સ

‘અમેરિકાએ અમને ટોઇલેટ પેપરની જેમ વાપર્યા’: પાક રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સંસદમાં તીખો પ્રહાર

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે બુધવારે સંસદમાં અમેરિકા પર કડક આક્ષેપો કરતાં કહ્યું કે અમેરિકાએ પોતાના હિત માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો અને કામ પૂરું થયા પછી તેને “ટોઇલેટ પેપરની જેમ ફેંકી દીધું”. તેમણે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં થયેલા બે યુદ્ધોમાં પાકિસ્તાન સામેલ થયું, પરંતુ તેનો દેશને ભારે ખમિયાજો ભોગવવો પડ્યો.

આસિફે કહ્યું કે 1979માં સોવિયેત સંઘના અફઘાનિસ્તાનમાં હસ્તક્ષેપને અમેરિકા દ્વારા સીધો હુમલો ગણાવવામાં આવ્યો અને તેની સામે પોતાની કથા તૈયાર કરી. તેમણે દાવો કર્યો કે ઇસ્લામ અને ધર્મના નામે લેવાયેલા નિર્ણયો વાસ્તવમાં તે સમયના સૈન્ય શાસકો—ઝિયા-ઉલ-હક અને પરવેઝ મુશર્રફ—દ્વારા વૈશ્વિક સમર્થન મેળવવા માટે લેવામાં આવ્યા હતા.

9/11 પછીની ભાગીદારીની “કિંમત”

આસિફે 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાઓ પછી અમેરિકાને સમર્થન આપવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા. “અમેરિકા સાથે ઊભા રહેવાની કિંમત પાકિસ્તાન આજે પણ ચૂકવી રહ્યું છે,” એમ તેમણે જણાવ્યું. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાને ઇતિહાસમાંથી યોગ્ય પાઠ શીખ્યા નથી અને ક્યારેક અમેરિકા, ક્યારેક રશિયા અને ક્યારેક બ્રિટન તરફ ઝૂકતું રહ્યું છે.

આતંકવાદ અંગે સ્વીકાર

રક્ષામંત્રીએ એ પણ સ્વીકાર્યું કે પાકિસ્તાનનો આતંકવાદી ઇતિહાસ રહ્યો છે. અફઘાન યુદ્ધોમાં ભાગ લેવો મોટી ભૂલ હતી અને આજે દેશમાં જે આતંકવાદ જોવા મળે છે, તે ભૂતકાળની નીતિઓનું પરિણામ છે. તેમણે દાવો કર્યો કે યુદ્ધોને યોગ્ય ઠરાવવા માટે શિક્ષણ પ્રણાલીમાં પણ ફેરફારો કરવામાં આવ્યા હતા, જેના પ્રભાવ આજે પણ છે.

બિલ ક્લિન્ટનના 2000ના પ્રવાસનો ઉલ્લેખ

આસિફે વર્ષ 2000માં અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની ઇસ્લામાબાદની ટૂંકી મુલાકાતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે સમય સુધી બંને દેશોના સંબંધો માત્ર સ્વાર્થ સુધી સીમિત થઈ ગયા હતા. તે સમયે પાકિસ્તાનમાં સૈન્ય શાસન હતું અને જનરલ પરવેઝ મુશર્રફ સત્તામાં હતા.

શિયા મસ્જિદ પર હુમલા બાદ નિવેદન

આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે સંસદે 6 ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદની શિયા મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલાની નિંદા કરતાં પ્રસ્તાવ પસાર કર્યો. આ હુમલામાં 31 લોકોના મોત થયા અને 169 ઘાયલ થયા હતા. હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથે લીધી હતી. આસિફે આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રીય એકતાની અપીલ કરી.

અમેરિકાનો પ્રતિસાદ

આ દરમિયાન અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયોએ તાજેતરમાં કહ્યું હતું કે અમેરિકા પાકિસ્તાન સાથે સંબંધ મજબૂત કરવા ઇચ્છે છે, પરંતુ ભારતની કિંમત પર નહીં. તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા પર તેની કોઈ અસર નહીં થાય.

પાકિસ્તાનના રક્ષામંત્રીના આ નિવેદન બાદ બંને દેશોના સંબંધોને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video