અમદાવાદમાં નારોલ-નરોડા હાઇવે પર આગ: વિરાટનગર બ્રિજ પાસે વ્રજેશ્વરી કોમ્પલેક્ષમાં ભડકેલી જ્વાળાઓથી હાહાકાર
અમદાવાદના નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ નજીક આવેલા વ્રજેશ્વરી કોમ્પલેક્સમાં બુધવારે સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. જાહેર માર્ગ પાસે જ વિકરાળ આગ લાગતા હાઇવે પર ચાલતાં વાહનો પણ ધીમા પડ્યા અને લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 6 ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી છે. આગનો ધુમાડો હાઇવે અને આસપાસના વિસ્તારમાં વેરાતાં દૃશ્ય ચિંતાજનક બની રહ્યું છે.
કોમ્પલેક્ષની એક દુકાનમાંથી શરૂ થયેલી આગ અન્ય દુકાનો સુધી ફેલાવાની શક્યતા હોવાથી ફાયર કર્મચારીઓ ઝડપથી ફોમ અને અન્ય સાધનોની મદદથી કામગીરી ચાલુ રાખી છે. આગ લાગેલી દુકાનોની પાછળ જ રહેણાંક વિસ્તાર આવેલી હોવાથી જોખમ વધ્યું છે, જેને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ આગ કાબૂમાં લેવા પ્રયાસો સતત ચાલુ છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this