ICC T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. કેપ્ટન Suryakumar Yadav ની આગેવાની હેઠળની ટીમનું એરપોર્ટ પર ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. “ભારત માતા કી જય” અને “ઇન્ડિયા ઝિંદાબાદ”ના નારા વચ્ચે ખેલાડીઓનું વિજયી આગમન થયું.
ITC નર્મદામાં ક્રિકેટર્સનું મીઠું સ્વાગત
ટીમ અમદાવાદમાં ITC Narmada ખાતે રોકાઈ છે. હોટેલ મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓ માટે ખાસ સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક ખેલાડીના રૂમમાં વિશેષ રીતે તૈયાર કરેલી મીઠાઈઓ અને એનર્જી સ્નેક્સ રાખવામાં આવ્યા હતા, જેમાં 1.64% ચોકલેટ એન્ડ નટ્સ એનર્જી બાર, એપલ અમરનાથ ક્રમ્બલ કેક અને બાજરા મિલેટ એન્ડ મેલન સીડ્સ બ્રાઉનીનો સમાવેશ થાય છે.
હેડ કોચ Gautam Gambhir નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ પર ગૂંજી ઉઠ્યાં હાર્દિક-સૂર્યાના નામ
ટીમના આગમન સાથે જ એરપોર્ટ પર ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. Hardik Pandya અને સૂર્યકુમાર યાદવના નામના નારા લગાવવામાં આવ્યા હતા. ખેલાડીઓએ ચાહકો સાથે થોડો સમય વિતાવી તેમની શુભેચ્છાઓ સ્વીકારી અને ત્યારબાદ હોટેલ તરફ રવાના થયા.
18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે ટક્કર
હવે ટીમ 18 ફેબ્રુઆરીએ અમદાવાદના વિશ્વવિખ્યાત Narendra Modi Stadium ખાતે નેધરલેન્ડ સામે મુકાબલો રમશે. આ મેચ સુપર-8 તરફ આગળ વધવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે અને આગામી મેચમાં પણ જીતનો જશ્ન જાળવી રાખશે.
શહેરમાં જશ્નનો માહોલ
અમદાવાદમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ બહાર અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચાહકો ટીમને સપોર્ટ આપવા આતુર છે. પાકિસ્તાન સામેની જીતે ખેલાડીઓનું મનોબળ વધાર્યું છે અને હવે નજર નેધરલેન્ડ સામેની મહત્વપૂર્ણ ટક્કર પર છે.
અમદાવાદના ક્રિકેટપ્રેમીઓ માટે આ મુકાબલો ખાસ બની રહેશે અને સ્ટેડિયમમાં ભારે ભીડ ઉમટવાની શક્યતા છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this