ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટના નિર્ણયો અંગે પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપી.
બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો:
- 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને કેબિનેટે મંજુરી આપી. આ નિર્ણયથી છૂટક ખેડૂતોને સહજ ધિરાણ મળશે અને ગ્રામિણ અર્થતંત્રને વેગ મળશે. નવી બેંકોનું વિભાજન હાલની જિલ્લા બેંકો પરથી કરવામાં આવશે. સરકાર હવે નાબાર્ડ મારફતે RBIને દરખાસ્ત મોકલી આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરશે.
- ભાગીને લગ્નના કાયદા પર સરકાર વિચાર કરી રહી છે. નવા નિયમો હેઠળ:
- ભાગીને લગ્નની સીધી નોંધણી બંધ થશે.
- વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત થશે.
- યુવક-યુવતીના માતા-પિતાને સત્તાવાર નોટિસ આપવામાં આવશે અને 30 દિવસમાં લેખિત જવાબ ફરજિયાત રહેશે.
- અધિકારીના અભિપ્રાય અને મંજૂરી પછી જ તલાટી નોંધણી કરી શકશે.
આ પગલાં ગેરકાયદે અથવા વિવાદાસ્પદ લગ્ન અટકાવવા માટે લેવામાં આવ્યા છે.
બેઠકમાં સાયબર ફ્રોડ વિષયક પણ ચર્ચા થઇ. ડેટા ચોરી રોકવા પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગને માર્ગદર્શન આપાયું છે. 1930 હેલ્પલાઈન ચાલુ છે.
અન્ય નિર્ણયો:
- સુરતને સ્લમ ફ્રી સિટી બનાવવા આગળ વધવું.
- 5 લાખ પ્રધાનમંત્રી આવાસનું નિર્માણ.
- કૃષિ રાહત પેકેજ અંતર્ગત 29 લાખ ખેડૂતોને લાભ મળી ચૂક્યો.
- જિલ્લા સ્તરે GDP વૃદ્ધિ વધારવા મુખ્ય સચિવને સૂચના.
- પોલીસ કર્મચારીઓના પગાર મુદ્દે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
- આગામી સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી રહેશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this