પોલિટિક્સ

પ્રિયંકા ગાંધીનો પ્રહાર: સરકારની ‘સંચાર સાથી’ એપ પર જાસૂસીનો આક્ષેપ

ટેલિકમ્યુનિકેશન વિભાગે તમામ નવા મોબાઇલમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે, જેના વિરોધમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના મંગળવારે સંસદ પરિસરમાં આક્રોશફુલ નિવેદન આવ્યા. તેમણે આ એપને સીધી જ ‘જાસૂસી એપ’ ગણાવી, અને સરકાર પર નાગરિકોના પ્રાઈવસીના અધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો.

પ્રિયંકા ગાંધીનો કહેવું છે કે, “દરેક વ્યક્તિને પોતાના પરિવાર અને મિત્રો સાથે ડર વિના વાતચીત કરવાનો અધિકાર છે. સરકાર આ દેશને દરેક સ્વરૂપમાં તાનાશાહીમાં બદલવા માગે છે.” તેઓએ આ પણ જણાવ્યું કે ફ્રોડ રિપોર્ટિંગ અને નાગરિકોના ફોન પર સતત નજર રાખવાની વચ્ચે પાતળી લાઇન છે, અને તેનો દુરુપયોગ હોવો જોઈએ નહીં.

સરકારના આદેશ અનુસાર, આગામી 90 દિવસમાં ભારતમાં બનનારા કે આયાત થનારા તમામ નવા ફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી ઇન્સ્ટોલ કરવી ફરજિયાત રહેશે. જૂના ફોનમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ઇન્સ્ટોલ કરવામાં આવશે, અને કંપનીઓએ 120 દિવસની અંદર આ નિયમના પાલનની જાણકારી આપી જરૂરી કાર્યવાહી કરવી પડશે.

‘સંચાર સાથી’ એપ 2023માં વેબ પોર્ટલ તરીકે શરૂ થઈ હતી અને જાન્યુઆરી 2025માં મોબાઇલ એપમાં રૂપાંતરિત થઈ. Android અને iOS બંને પર ઉપલબ્ધ, આ એપ સાયબર સિક્યુરિટી ટૂલ તરીકે ફોનની સુરક્ષા, ઓળખની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડીથી બચાવ માટે ઉપયોગી છે. એપ સીધું CEIR (Central Equipment Identity Register) ડેટાબેઝ સાથે જોડાયેલી છે, જે દેશના દરેક મોબાઇલનું IMEI નંબર નોંધે છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video