પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરની ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ લાલ કિલ્લા બ્લાસ્ટને લઈને કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે 10 નવેમ્બરના રોજ દેશની રાજધાનીમાં થયેલો કાર બોમ્બ વિસ્ફોટ વધતી જતી અસુરક્ષા અને જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકારે અપનાવેલી નીતિઓની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે.
મહેબૂબાએ કહ્યું,
“તમે દુનિયાને કહ્યું હતું કે કાશ્મીરમાં બધું બરાબર છે, પરંતુ કાશ્મીરની મુશ્કેલીઓ લાલ કિલ્લા સામે ગુંજી રહી છે. જમ્મુ-કાશ્મીરને સુરક્ષિત બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તે વચન પૂરુ થતા પહેલા જ તમારી નીતિઓએ દિલ્હીને જ અસુરક્ષિત બનાવી દીધી.”
લાલ કિલ્લા પાસે આત્મઘાતી હુમલો
10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયો આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ, જેમાં પુલવામાના રહેવાસી ડૉ. ઉમરે ભારે વિસ્ફોટકો સાથે હુમલો કર્યો હતો. આ વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા.
તપાસમાં મોટો ખુલાસો
આ કેસની તપાસ NIA, NSG, ED સહિત દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશની પોલીસ મેળવીને કરી રહી છે. અત્યાર સુધીમાં આ વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ સાથે જોડાયેલા છ ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે.
મહેબૂબાના નિવેદનના મુખ્ય મુદ્દા
- હિન્દુ–મુસ્લિમ રાજકારણથી મત મળી શકે, પરંતુ દેશ ખતરામાં મૂકાઈ રહ્યો છે.
મહેબૂબાએ કહ્યું કે કેટલીક શક્તિઓ ઇરાદાપૂર્વક સમાજમાં વિભાજન વધારી રહી છે. “વધુ વિભાજન એટલે વધુ રક્તપાત, અને તેમાંથી જ તેઓ મત મેળવવાની અપેક્ષા રાખે છે,” તેમ તેમણે આક્ષેપ કર્યો. - દેશ ખુરશી કરતાં મોટો છે.
નેતૃત્વ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે સત્તા માટે લોકોના જીવન સાથે રમવું યોગ્ય નથી. - યુવાનોને ખુલ્લી ચેતવણી:
“જે યુવાનો આ માર્ગ અપનાવી રહ્યા છે, તેઓ ફક્ત પોતાને જ નહીં પરંતુ પોતાના પરિવાર તથા આખા દેશને જોખમમાં મૂકી રહ્યા છે.”
તેમણે અપીલ કરી કે આ રીતે હિંસા અપનાવવાથી કોઈ ઉકેલ મળતો નથી, ફક્ત નિર્દોષ લોકોના જીવન જોખમમાં મુકાય છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this