ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે “ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું, જે 88 કલાકમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું.” તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ભારત કોઈપણ પરિસ્થિતિ માટે પૂરેપૂરી તૈયારીમાં છે.
દ્વિવેદીએ પાકિસ્તાન તરફ નિશાન સાધતાં જણાવ્યું:
“જો પાકિસ્તાન આવી જ તક આપશે, તો અમે તેને બતાવીશું કે પાડોશી રાષ્ટ્ર સાથે જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું.”
તેમણે ફરી એક વખત ભારપૂર્વક જણાવ્યું કે “વાતચીત અને આતંકવાદ સાથે-સાથે ચાલી ન શકે.”
આ નિવેદનથી સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે કે ભારત સરહદ પારના આતંકવાદ સામે વધુ કડક અને એલર્ટ છે, અને જરૂર પડે તો કોઈપણ સમયે જવાબી કાર્યવાહી કરવા સક્ષમ છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group
Leave feedback about this