આપણું ભારત ક્રાઇમ ગ્લોબલ ન્યુઝ ટૉપ ન્યૂઝ

બાબરી વિધ્વંસનો બદલો લેવા આતંકીઓનું ષડયંત્ર: દેશભરમાં 32 કાર બોમ્બથી વિસ્ફોટની યોજના, દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ એ જ પ્લાનનો ભાગ

દિલ્હીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરે થયેલા વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ સૂત્રો મુજબ, આતંકવાદીઓએ દેશભરમાં 32 કારોમાં બોમ્બ અને વિસ્ફોટક સામગ્રી રાખીને સીરિયલ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. આમાં લાલ કિલ્લા પાસે વિસ્ફોટ થયેલી i20 કાર પણ એ જ રીવેન્જ એટેક પ્લાનનો એક ભાગ હતી.

આતંકવાદીઓનો ઈરાદો હતો કે 6 ડિસેમ્બર, બાબરી મસ્જિદ તોડી પાડવાની બરસી ના દિવસે દિલ્હી સહિત અનેક શહેરોમાં ધમાકા કરવામાં આવે.

તપાસ એજન્સીઓએ અત્યાર સુધી 4 કાર – બ્રેઝા, સ્વિફ્ટ ડિઝાયર, ઇકોસ્પોર્ટ અને i20 – જપ્ત કરી છે. બાકી ગાડીઓની શોધ માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સુરક્ષા એજન્સીઓ તલસ્પર્શી તપાસ કરી રહી છે.

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધી 13 લોકોના મૃત્યુ થયા છે, જેમાંથી એક ઘાયલનું ગુરુવારે સવારે મોત થયું. 20 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે.

તપાસ એજન્સીઓ હવે આ સમગ્ર કાવતરાની પાછળના માસ્ટરમાઈન્ડ અને નેટવર્ક સુધી પહોંચવા માટે અનેક રાજ્યોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group

Exit mobile version