બિઝનેસ

આજથી RBI મોનેટરી પોલિસી કમિટી બેઠક, વ્યાજ દર ઘટાડાની અપેક્ષા ઓછી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજે 4 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયો તેના સમાપનના દિવસે જાહેર કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા ઓછી છે. અગાઉ ડિસેમ્બરમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને તેને 5.25% પર લાવવામાં આવ્યો હતો.

રેપો રેટમાં વર્ષ 2025-26માં ચાર વખત ઘટાડો

આ વર્ષે RBIએ કુલ 4 વખત રેપો રેટ ઘટાડ્યો છે, જેનો કુલ ઘટાડો 1.25% થયો છે. ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી કમિટી દ્વારા વ્યાજ દર 6.5% થી 6.25% કરી દેવામાં આવ્યા હતા, જે છેલ્લા લગભગ 5 વર્ષમાં પ્રથમ વખત થયો હતો. એપ્રિલમાં 0.25%નો ઘટાડો, જૂનમાં 0.50% અને ડિસેમ્બરમાં 0.25%નો ઘટાડો થયો. આ રીતે કુલ 1.25% ઘટાડો નોંધાયો છે.

રેપો રેટ વધારવાની અને ઘટાડવાની કારણો

સેન્ટ્રલ બેંક નીતિ દર (પોલિસી રેટ)નો ઉપયોગ અર્થતંત્રમાં નાણાંના પ્રવાહ અને મોંઘવારીને નિયંત્રિત કરવા માટે કરે છે. જો મોંઘવારી વધારે હોય, તો રેપો રેટ વધારીને બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી લોન મોંઘી આપી દેવામાં આવે છે, જેથી બેંકો ગ્રાહકોને પણ મોંઘી લોન આપે છે. પરિણામે અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટે છે અને માંગ ઘટી મોંઘવારી ઘટાડવામાં મદદ મળે છે.

જ્યારે અર્થતંત્ર મંદી અથવા નિકાસ ઘટતી હોય, ત્યારે રેપો રેટ ઘટાડવામાં આવે છે. આથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી સસ્તી લોન મળે છે અને ગ્રાહકો પણ સસ્તા દરે લોન મેળવી શકે છે. આ પગલું અર્થતંત્રમાં નાણાંના પ્રવાહને વધારવા માટે મહત્વપૂર્ણ છે.

RBI મોનિટરી પોલિસી મીટિંગની માહિતી

મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે, જેમાંથી 3 RBIના હોદેદારો હોય છે અને બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBIની મીટિંગ દર બે મહિને યોજાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે RBIએ કુલ 6 મીટિંગ્સનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આજે 4 ફેબ્રુઆરીથી શરૂ થયેલી બેઠક આ નાણાકીય વર્ષની છેલ્લી મીટિંગ છે. વર્ષના પ્રથમ મિટિંગ 7-9 એપ્રિલે યોજાઈ હતી.

તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.

whatsapp Join WhatsApp Group
Exit mobile version