રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિન માટે યોજાયેલા ડિનરમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ ન મળ્યું, જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને બોલાવવામાં આવ્યા; રાહુલનો આરોપ સરકાર વિપક્ષને વિદેશી નેતાઓ સાથે મળવા નથી દેતી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ ડિનર યોજાયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જ્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને આમંત્રણ મળ્યું.
PTIને શશિ થરૂરે જણાવ્યું કે, “મને ખબર નથી કે આમંત્રણ કયા આધારે આપવામાં આવે છે, પરંતુ હું ચોક્કસ હાજર રહીશ. વિરોધ પક્ષના નેતાઓને ન બોલાવવા યોગ્ય નથી.”
ગુરુવારે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર વિદેશી ટોચના નેતાઓ સાથે વિપક્ષ નેતાઓની મુલાકાત અટકાવે છે, જ્યારે સરકારના સૂત્રો એ આરોપોને ખોટું ગણાવે છે. સૂચનાઓ મુજબ, વિદેશી પ્રતિનિધિમંડળ પોતે નક્કી કરે છે કે કોનને મળવું છે.
ડિનરમાં લગભગ 150 મહેમાનો હાજર રહ્યા, જેમાં રાજકારણ, બિઝનેસ અને કલા જગતના મોટા નામો સામેલ હતા. ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સના સંગીતકારો દ્વારા ટ્રાય-સર્વિસિસ બેન્ડ ભારતીય અને રશિયન ધૂન વગાડી હતી. મેનૂમાં કાશ્મીરી વાઝવાનથી લઈને રશિયન બોર્ષ્ટ સૂપ સુધીની વિશેષ ડિશ સામેલ હતી.
થરૂરના તાજેતરના નિવેદનોમાં કેન્દ્રની વિદેશ નીતિની પ્રશંસા પણ જોવા મળી છે, જેમાં ‘ઓપરેશન સિંદૂર’માં ભારતીય રાજદ્વારી પ્રતિનિધિ તરીકે તેમની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે. તેમણે પીએમ મોદીની ગતિશીલતા, ઉર્જા અને વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવાની કૌશલ્યની પ્રશંસા કરી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group