ગુજરાત પ્રવાસના બીજા અને મહત્વપૂર્ણ દિવસે વડાપ્રધાન Narendra Modi આજે પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ના દર્શનાર્થે પહોંચ્યા હતા. જામનગરની વિશાળ જનસભા બાદ પીએમ મોદીએ સોમનાથ ખાતે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં ભાગ લીધો હતો. મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.
સોમનાથ મંદિર પરિસરમાં વડાપ્રધાન મોદીના આગમન સમયે શંખનાદ અને ડમરૂના નાદ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે પીએમ મોદીને આવકાર્યા હતા. મંદિર પરિસર દેશભક્તિ અને ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. સાથે જ ધ્વજારોહણની વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી. પીએમ મોદીએ ભગવાન સોમનાથ મહાદેવને જળાભિષેક કરી વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાની Indian Air Force ની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમે આકાશમાં અદભૂત કરતબો બતાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભક્તિ અને શક્તિના સંગમ સમાન આ દૃશ્યો જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.
સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ-શો કર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર પીએમ મોદીને જોવા રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રસ્તાભર શંખ, ઢોલ અને ડમરૂના નાદ વચ્ચે લોકો મોદી-મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ Sardar Vallabhbhai Patel ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે ઠેર-ઠેર છાશ અને પાણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સુરક્ષા માટે પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સોમનાથ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી વડોદરા જવાના છે, જ્યાં તેઓ ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરશે અને વિશાળ જનસભાને સંબોધશે. પશ્ચિમ બંગાળમાં ભાજપને મળેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં પણ ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. શહેરમાં ‘બંગાળ થીમ’ પર ખાસ ડેકોરેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનના આ પ્રવાસને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group