ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં વહીવટી તંત્રે આજે મોટી કાર્યવાહી કરતાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દરગાહોના અતિક્રમણો દૂર કર્યા. લાંબા સમયથી ચાલતા આ દબાણ સામે રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે બુલડોઝરની મદદથી નાની-મોટી તમામ ગેરકાયદેસર માળખાઓ હટાવ્યાં.
માહિતી મુજબ, આ દરગાહોની વકફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે નોંધણી કરાઈ હતી, જેથી તપાસ બાદ વહીવટતંત્રે કાર્યવાહીનો નિર્ણય લીધો હતો.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ગાંધીનગર SPની હાજરીમાં લગભગ 200 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેથી કાયદો-વ્યવસ્થાની કોઈ સ્થિતિ ન બને અને કામગીરી શાંતિપૂર્ણ રીતે આગળ વધી શકે.
સ્થાનિક તંત્રનું કહેવું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ સહન કરવામાં નહીં આવે અને આવનારા સમયમાં આવી દબાણો સામે કાર્યવાહી વધુ કડક કરવામાં આવશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group