અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે દાવો કર્યો કે તેમણે છેલ્લા 10 મહિનામાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ આઠ યુદ્ધોને રોકવામાં સફળતા મેળવી છે. ટ્રમ્પએ જણાવ્યું કે ભારત-પાકના તણાવ પરમાણુ યુદ્ધ સુધી જઈ શકે તેમ હતો, પરંતુ તેમના હસ્તક્ષેપ અને કાયદેસર નીતિઓના કારણે વિશ્વને મોટા યુદ્ધથી બચાવ્યું. તેમણે કહ્યું કે દરેક યુદ્ધ રોકવા માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.
ટ્રમ્પના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થતા, તેમના વિરુદ્ધ અમેરિકાના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા. કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો તેમની કડક નીતિઓ, જેમ કે ગેરકાયદે પ્રવાસીઓ સામે ICEના પગલાં, ટેરિફ નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોથી અલગ થવા જેવા નિર્ણયો માટે નારાજગી વ્યકત કરી. કેટલાક પ્રદર્શનકારોએ પ્લેકાર્ડ અને પૂતળાં દ્વારા તેમની નીતિઓની આલોચના કરી.
ટ્રમ્પે જણાવ્યું કે તેઓએ ઈરાન અને વેનેઝુએલાની પરમાણુ ક્ષમતાઓને નિષ્ક્રિય કર્યા, ISIS પ્રમુખ અને ઈરાની જનરલ કાસિમ સુલેમાનીને ઠાર માર્યો, અને વિશ્વમાં શાંતિ માટે ‘બોર્ડ ઓફ પીસ’ મંચ બનાવ્યો. તેમણે કહ્યું કે નાટો (NATO) દેશો તેમની મદદ માટે તૈયાર છે. ટેરિફ નીતિઓ સાથે અમેરિકાએ કરોડો ડોલર કમાયા છે અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં આવ્યું છે.
ટ્રમ્પે જણાવ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે યુદ્ધ રોકવા બદલ તેમની પ્રશંસા કરી છે, જેમાં લાખો લોકોના જીવ બચાવામાં મદદ થઈ. ભારતે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકાર્યા નથી. ભારતીય અધિકારીઓ અનુસાર, પહલગામ આતંકી હુમલા બાદ 10 મેના રોજ પાકિસ્તાનના DGMOએ ભારતનો સંપર્ક કરી સીઝફાયરની પહેલ કરી હતી.
ટ્રમ્પના દાવા અનુસાર, આ સમયમાં વિશ્વને ન્યુક્લિયર અને મોટા યુદ્ધોથી બચાવવામાં તેમનો હસ્તક્ષેપ મહત્વપૂર્ણ રહ્યો છે. વિશ્વભરમાં તેમના આ નિવેદનોને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે – કેટલાક એ તેમને શાંતિદૂત માને છે, જ્યારે અન્યોએ તેમના આંતરરાષ્ટ્રીય નીતિ નિર્ણયો માટે ટીકાઓ કરી છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group