વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ લેપ્રસી ગ્રાઉન્ડમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથા ચાલી રહી છે. 19 જાન્યુઆરીના દિવસે તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે રોષ વ્યક્ત કર્યો અને દેશના હિન્દુઓ અને સનાતનીઓને એકજૂટ થવાની અપીલ કરી.
પંડિત પ્રદીપ મિશ્રાએ જણાવ્યું કે, “બાંગ્લાદેશમાં હિન્દુઓને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે. આપણી સંખ્યા વધ્યા પછી કદાચ તેઓ આપણાં પર અત્યાચાર કરી શકે. જો આપણે જ્ઞાતિઓ અને સમાજોમાં વહેંચાઈશું, તો આપણું કપાવાનું નક્કી છે. આથી હવે એકજૂટ થવું ખૂબ જરૂરી છે.”
પર્યાવરણ માટે ચેતવણી અને કાર્યયોજનાઓ
તેઓએ દેશ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં વધતા પ્રદૂષણ પર ચિંતાની વ્યકત કરતાં કહ્યું કે, વૃક્ષારોપણ કરવું આજના સમયમાં અતિ આવશ્યક છે. નિષ્ણાતો અનુસાર પૃથ્વીને કરોડો વૃક્ષોની જરૂર છે. પર્યાવરણમાં ફેરફારો સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યા છે. નાના બાળકોમાં હાર્ટ-એટેક, કેન્સર, લિવર અને કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે.
તેઓએ નમ્ર અપીલ કરી, “પ્રકૃતિ હરીભરી હશે ત્યારે જ પાણીનો સ્તર વધશે અને વાયુમંડળ શુદ્ધ રહેશે. આપણે સૌએ સાથે મળીને વાતાવરણને શુદ્ધ બનાવવા પ્રયત્ન કરવા જોઈએ.”
‘ગ્રીન શિવરાત્રિ’ માટે સંકલ્પ
આગામી 15 ફેબ્રુઆરીએ આવનારી મહાશિવરાત્રિ માટે પંડિત પ્રદીપ મિશ્રાએ ‘ગ્રીન શિવરાત્રિ’નો સંકલ્પ કર્યો છે. શિવજીની પૂજા સાથે પ્રકૃતિની પણ સેવા કરવાની આ પહેલ છે. તેમણે જણાવ્યું કે, દર પરિવારના સભ્યે ઓછામાં ઓછા એક વૃક્ષ વાવવું અને તેની યોગ્ય સંભાળ કરવી જોઈએ. વૃક્ષોને પાણી આપવું એ જ સાચી શિવ પૂજા છે, કારણ કે શિવ જલ, થલ અને વાયુ તત્વમાં વસેલા છે.
શિવભક્તો અને લોકોની જોડાણ
કથામાં હજારો લોકો ઉમટ્યા. પંડિત પ્રદીપ મિશ્રાએ તમામને નમ્ર વિનંતી કરી કે, દરેક વ્યક્તિ પરિવારના સભ્યો સાથે મળીને પર્યાવરણને શુદ્ધ રાખવામાં યોગદાન આપે. માત્ર વૃક્ષ વાવવું પૂરતું નથી, તેની યોગ્ય સંભાળ અને પાલન કરવું પણ આવશ્યક છે. આ અભિયાન હિન્દુ ધર્મ અને પર્યાવરણ સંરક્ષણ બંને માટે પ્રેરક છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group