બોલીવુડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી રહ્યા. લાંબા સમયથી ચાલી રહેલી તબિયત નાસાજી વચ્ચે તેઓએ દેઓલ હાઉસ ખાતે પરિવારની હાજરીમાં અંતિમ શ્વાસ લીધા. 89 વર્ષીય અનુભવી કલાકારના અવસાનથી ફિલ્મ જગતમાં અને ચાહકોમાં ગહન શોક ફેલાયો છે.
કેટલાક દિવસોથી સારવાર હેઠળ હતા
ત્રણ દિવસ પહેલાં ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થતાં
31 ઑક્ટોબરની રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યાં તેમણે ઘણા દિવસો સુધી સારવાર લીધી અને બાદમાં 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી હતી જેથી તેઓ ઘરે આરામ કરી શકે.
11 નવેમ્બરે ખોટી અફવાઓએ મચાવ્યો હતો હંગામો
11 નવેમ્બરે સોશિયલ મીડિયામાં તેમની મૃત્યુની ખોટી અફવાઓ જોરશોરથી ફેલાઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતાં તેમની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની, તેમજ દીકરી ઈશા દેઓલે જાહેર નિવેદનો આપીને સ્પષ્ટ કર્યું હતું કે ધર્મેન્દ્ર જીવિત છે અને ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે.
પરંતુ આજે સવારે આવેલી દુઃખદ માહિતીથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમાં ગરક થઈ ગયો છે.
ફિલ્મ જગત અને ચાહકોમાં શોકની લાગણી
ધર્મેન્દ્રે છ દાયકાથી વધુ સમય સુધી હિન્દી સિનેમાને યાદગાર ફિલ્મો આપી છે.
તેમના નિધન સાથે એક સુવર્ણ યુગનું અંત આવી ગયું છે.
મુંબઈમાં તેમના ઘરે ભારે બેરિકેડિંગ અને સુરક્ષાનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે, જ્યારે વિલે પાર્લે સ્મશાન ઘાટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group