ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં તેમના અવસાનના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેણે લખ્યું, “મીડિયા સંપૂર્ણપણે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. પપ્પાની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. પપ્પાના ઝડપી સ્વસ્થ થવા માટે તમારી પ્રાર્થના બદલ આભાર.”

દાખલ થયા પછીના 72 કલાક ખૂબ જ ક્રિટિકલ કહેવાયા હતા. દેઓલ પરિવારના નજીકનાં સૂત્રો અનુસાર, ધર્મેન્દ્રની દીકરીઓને અગાઉથી જ વિદેશથી મુંબઈ બોલાવવામાં આવી છે. ગઈરાત્રે સની દેઓલ હોસ્પિટલની બહાર ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, ત્યાં જ બોબી દેઓલ પણ ‘અલ્ફા’નું શૂટિંગ છોડીને મુંબઈ પરત ફર્યા છે. શાહરુખ, સલમાન સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ સોમવારે મોડીરાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group