અંબાજી મંદિર ટ્રસ્ટે ભક્તો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. હવે ભક્તો માતા અંબાજીનો પ્રસાદ ઘરે બેઠા ઑનલાઈન મંગાવી શકશે. તેનો ઓર્ડર મંદિરની ઓફિશિયલ વેબસાઇટ www.ambajitemple.in પરથી કરી શકાય છે.
ટ્રસ્ટે ‘અંબાજી પ્રસાદમ કીટ’ નામની કોમ્પેક્ટ કીટ લોન્ચ કરી છે, જે ખાસ ભક્તોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી છે. કીટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો શામેલ છે. કીટની અંદાજિત કિંમત પોસ્ટ ખર્ચ સહિત 220 રૂપિયા રહેશે.
અંબાજી મંદિર ટ્રસ્ટે ઓનલાઈન પ્રસાદ વિતરણ માટે પોસ્ટ વિભાગ સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પણ કર્યો છે. આ કીટ માત્ર ઓનલાઈન ઓર્ડર પર ભક્તોને ઉપલબ્ધ થશે.
તમામ લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ સીધા તમારા મોબાઈલ પર મેળવવા માટે, નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Join WhatsApp Group